મન મરિયું તેને ત્યાગી કહીએ રે

ગંગાસતી અને પાનબાઈ

મન મરિયું તેને ત્યાગી કહીએ રે, મરને વરતે વહેવાર માંય રે;

ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગી ને, તેને નહિ નડે માયાની છાંય રે.

મન મરિયું તેને ત્યાગી કહીએ રે...

આદર્યો અભ્યાસ ને મટી ગઈ કલ્પના, આનંદ ઊપજ્યો અપાર રે;

વ્રતમાન બદલે પાનબાઈ ! તેનું રે, જેને લાગ્યો વચનુંમાં તાર રે.

મન મરિયું તેને ત્યાગી કહીએ રે...

આસન ત્રાટક ખટમાસ સિદ્ધ કર્યું ને, વરતી થઈ ગઈ સમાન રે;

ગુરુને શિષ્યની થઈ ગઈ એકતા ને, મટી ગયું જાતિનુંમાન રે.

મન મરિયું તેને ત્યાગી કહીએ રે...

પદાર્થની અભાવના થઈ ગઈ તેહને રે, વાસનાની મટી ગઈ તાણાવાણ રે;

ગંગાસતી એમ બોલિયાં રે, જેને થઈ ગઈ સદ્દગુરુની ઓળખાણ રે.

મન મરિયું તેને ત્યાગી કહીએ રે...

••• ✦ •••

શેર કરો

ડાઉનલોડ કરો

PDF

ઓડિયો / વિડીયો શોધો

People also search using Man Mariyu Tene Tyagi Kahie Re lyrics, lyrics, Man Mariyu Tene Tyagi Kahie Re gujarati bhajan lyrics, pdf download
ભક્તિમિત્ર.in • https://bhaktimitra.in